સ્વ. શ્રી કાંતિભાઈ સી મહેતા(ભાઈ) ની ૨૧ મી પુણ્યતિથિ નિમિતે નેશનલ ટ્રકેમો એન્ડ બ્લાઈડનેસ કંટ્રોલ પ્રોગ્રામ
શ્રી ટી.એમ.જે. એન્ડ શાહ એમ.એમ. આઈ હોસ્પિટલ સંચાલિત સમર્પણ હોસ્પિટલ પાલનપુર દ્વારા આયોજિત સ્વ. શ્રી કાંતિભાઈ સી મહેતા(ભાઈ) ની ૨૧ મી પુણ્યતિથિ નિમિતે નેશનલ ટ્રકેમો એન્ડ બ્લાઈડનેસ કંટ્રોલ પ્રોગ્રામ, જનરલ હોસ્પિટલ ના સહયોગ થી પાલનપુર આઈ હોસ્પિટલ દ્વારા તા. ૦૬/૦૮/૨૦૧૮ થી તા. ૧૪/૦૮/૨૦૧૮ સુધી આયોજન કરવામાં આવેલ જેમાં ૧૧૪૩ દર્દીઓને તપાસવામાં આવેલ હતા. જેમાંથી ૧૨૨ જરૂરિયાતવાળા દર્દીઓને “આઈ હોસ્પિટલ”ખાતે મોતિયાના ઓપરેશન નેત્રમણી બેસાડી કરી આપવામાં આવેલ છે. આ કેમ્પમાં આઈ સર્જન ડૉ.પિયુષભાઈ શાહ,ડૉ મૌલેષ જે. પટેલ તેમજ આસીસ્ટન ઓપ્થો શ્રી દિનેશભાઈ ચૌધરી દ્વારા સેવાઓ આપવામાં આવેલ તથા આ કેમ્પને સફળ બનાવવા આઈ હોસ્પિટલ ના સ્ટાફ ના સભ્યોએ પણ સુંદર સહકાર આપેલ છે.